IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો

newsgujarat
By newsgujarat Add a Comment 4 Min Read

Lalit Modi Match Fixing Claim: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને પૂર્વ કમિશનર લલિત મોદી ફરી એકવાર પોતાના પોતાના ચોંકાવનારા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. એક જાણીતા સ્પોર્ટ્સ પોડકાસ્ટમાં ક્રિકેટ જગતમાં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર મુદ્દાઓ પર ખુલાસો કરતા તેમણે દાવો કર્યો છે કે, ક્રિકેટમાં રમતમાં આજે પણ ફિક્સિંગ થાય છે. પરંતુ IPLમાં આવી પ્રવૃત્તિ થતી હોવાની તેમને કોઈ માહિતી નથી. 

પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન લલિત મોદીએ કહ્યું કે, ક્રિકેટમાં ભ્રષ્ટાચાર ખુબ જટિલ એન્ડ હાઈટેક બની ગયો છે. જોકે, તેમણે આઈપીએલમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોવાની વાતનો ઈનકાર કર્યો છે.

“ક્રિકેટમાં ફિક્સિંગ છે, પરંતુ IPL વિશે હું દાવો કરી શકું નહીં”

આઈપીએલ(IPL)માં ફિક્સિંગ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું, “મને નથી લાગતું કે IPLમાં ફિક્સિંગ થાય છે. વર્તમાન સમયમાં IPL લીગ ખેલાડીઓ માટે એટલી બધી ફાયદાકારક બની ગઈ છે કે કોઈ પણ ખેલાડી થોડા પૈસા માટે પોતાનું ક્રિકેટ કરિયર જોખમમાં મૂકવાનો વિચાર પણ નહિ કરે. જોકે, મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, તેથી હું IPL વિશે ચોક્કસપણે હા કે ના કહી શકું નહીં.” લલિત મોદીએ વધુમાં જણાવ્યું કે દરેક રમતને પોતાની અલગ સમસ્યાઓ હોય છે અને ક્રિકેટ પણ આનાથી અછૂત નથી. હું ઈચ્છું છું કે તમે મારી આ આખી વાતને એમને એમ જ પ્રસારિત કરો, આ હિસ્સાને કાપશો નહીં, નહીં તો લોકો તેનો ખોટો અર્થ કાઢશે. કારણ કે હું ખૂબ સ્પષ્ટ કહી રહ્યો છું કે મને આઈપીએલ વિશે હાલની સ્થિતિએ કશી ખબર નથી.” 

દાઉદ ઇબ્રાહિમ અને અંડરવર્લ્ડ તરફથી મળતી હતી ધમકીઓ

લલિત મોદીએ એવો દાવો કર્યો કે, ક્રિકેટમાં મેચ ફિક્સિંગ સામે કડક વલણ અપનાવવાના કારણે તેમને અંડરવર્લ્ડ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેમના કહેવા મુજબ, દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો તરફથી તેમના પર ત્રણ વખત હુમલો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું, “મને મેચ ફિક્સિંગ પર ચૂપ રહેવા માટે કરોડો ડોલરની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં દરેક ઓફર ઠુકરાવી દીધી. મારા માટે રમતની ઈમાનદારી સૌથી મહત્વપૂર્ણ હતી.”

IPL સાઉથ આફ્રિકા ખસેડતા સટ્ટાબજારોને થયો મોટો ફટકો

લલિત મોદીના જણાવ્યા અનુસાર, આઈપીએલની શરૂઆતની ત્રણ સીઝનમાં તેમણે ફિક્સિંગ થવા દીધું ન હતું, જેના કારણે અંડરવર્લ્ડ અને સટ્ટાબાજીનું આખું નેટવર્ક તેમનાથી ભારે નારાજ હતું. તેમણે દાવો કર્યો કે જ્યારે IPL-2નું આયોજન ભારતની જગ્યાએ દક્ષિણ આફ્રિકામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે ઘણા સટ્ટાબાજોએ લીગ રદ થવાની આશાએ મોટા દાવ લગાવ્યા હતા. પરંતુ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાતા તેમને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. મોદીના કહેવા મુજબ, આ અદાવતમાં મુંબઈમાં લલિત મોદીના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને મોન્ટેનેગ્રોમાં પણ તેમની હત્યાના કાવતરાં ઘડાયા હતા, જ્યારે લંડનમાં તેમના પુત્રના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

“સેટેલાઇટ ફોન પર દાઉદ સાથે મારી વાત કરાવવામાં આવી હતી”

પોડકાસ્ટ દરમિયાન મોદીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે વર્ષ 2012માં લંડનની એક પ્રભાવશાળી વ્યક્તિએ ગુપ્ત રીતે તેમની વાતચીત સેટેલાઇટ ફોન મારફતે દાઉદ ઇબ્રાહિમ સાથે કરાવી હતી. મોદીના જણાવ્યા અનુસાર, તેમને કહેવામાં આવ્યું હતું કે અંડરવર્લ્ડે ભૂતકાળમાં તેમની મદદ કરી છે અને હવે બદલામાં તેમણે પણ કંઈક કરવું જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે કોઈ પ્રકારની ડીલ કરી નહોતી. તેમણે કહ્યું, “મેં માત્ર એટલું જ જણાવ્યું હતું કે હું ક્રિકેટ પ્રશાસનમાંથી કાયમ માટે દૂર થઈ રહ્યો છું. દાઉદ સાથે મારી કોઈ સમજૂતી કે સોદો થયો નહોતો.”

ક્રિકેટ જગતમાં ફરી ગરમાઈ ચર્ચા

લલિત મોદીના આ નિવેદનો બાદ ક્રિકેટ જગતમાં ફરી એકવાર મેચ ફિક્સિંગ, ભ્રષ્ટાચાર અને અંડરવર્લ્ડના પ્રભાવ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, તેમના ઘણા દાવાઓ વ્યક્તિગત અનુભવ અને આરોપો પર આધારિત છે, જેના અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *