ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, બાબા બર્ફાનીની પ્રથમ પૂજા બાદ સુરક્ષાના કડક બંદોબસ્ત

amarnath-yatra-2026-starts-july-3-first-puja-security-arrangements

બાબા બર્ફાનીના દર્શન માટે આતુર લાખો શ્રદ્ધાળુઓની રાહ હવે પૂર્ણ થવા જઈ રહી છે. 3 જુલાઈથી શરૂ થનારી પવિત્ર શ્રી અમરનાથ યાત્રા(Amarnath Yatra 2026) પહેલાં 29 જૂને પરંપરાગત પ્રથમ પૂજા યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તથા શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પૂજામાં હાજરી આપી અને યાત્રા શાંતિપૂર્ણ તથા સફળ રહે તેવી પ્રાર્થના કરી.

બાલટાલ અને પહેલગામ બંને માર્ગોથી શરૂ થશે યાત્રા

આ વર્ષે 57 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા 3 જુલાઈથી બાલટાલ અને પહેલગામ એમ બંને પરંપરાગત માર્ગો પરથી શરૂ થશે. યાત્રાનો સમાપન 28 ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર દિવસે થશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે આ કઠિન પરંતુ આધ્યાત્મિક યાત્રા કરે છે.

4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું નોંધણી

અધિકારીઓના જણાવ્યા અનુસાર 15 એપ્રિલથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ યાત્રા માટે નોંધણી કરાવી છે. શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો 2 જુલાઈએ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થશે, જ્યારે 3 જુલાઈથી યાત્રાનો સત્તાવાર પ્રારંભ થશે.

સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત

યાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. રૂટ ઓપનિંગ પાર્ટી (ROP) દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યારે માર્ગ પર વાહનોની સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે.

યાત્રાળુઓ માટે આરોગ્ય સુવિધાઓ પણ તૈયાર

શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્યને પ્રાથમિકતા આપતાં બાલટાલ અને ચંદનવાડીમાં બેઝ હોસ્પિટલો શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત સમગ્ર યાત્રા રૂટ પર તબીબી ટીમો, ઇમરજન્સી સેવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી યાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.

Join WhatsApp

Join Now

Leave a Comment