By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: વાયનાડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, ટનલ પ્રોજેક્ટ પાસે બેના મોત, અનેક દટાયા હોવાની આશંકા
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Latest Stories > વાયનાડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, ટનલ પ્રોજેક્ટ પાસે બેના મોત, અનેક દટાયા હોવાની આશંકા
Latest StoriesWorld

વાયનાડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, ટનલ પ્રોજેક્ટ પાસે બેના મોત, અનેક દટાયા હોવાની આશંકા

newsgujarat
Last updated: 2026/07/09 at 5:08 PM
By newsgujarat Add a Comment 5 Min Read
Share
wayanad-landslide-tunnel-project-heavy-rain-two-dead-rescue-operation
વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ પાસે બેના મોત, અનેક દટાયા હોવાની આશંકા
SHARE

Wayanad Landslide : કેરળના વાયનાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વાયનાડમાં ટનલ પ્રોજેક્ટના નિર્માણ સ્થળ નજીક ભૂસ્ખલન(Wayanad Landslide) થતાં બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના(Tunnel Project Landslide) નિર્માણ સ્થળ નજીક કલ્લાડી ખાતે મીનાક્ષી બ્રિજ પાસે બની હતી. ઘટના સમયે સ્થળ પર બાંધકામ કામદારો હાજર હોવાનું જાણવા મળ્યું છે.

કાટમાળ નીચે લોકો દટાયા હોવાની આશંકા

ભૂસ્ખલન બાદ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઘણા મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ તંત્ર દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી છ ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Following the #Wayanad landslide, the Chief Minister held an emergency meeting with Minister T. Siddique and ordered immediate coordination of rescue operations. Revenue Minister A.P. Anil Kumar and Minister T. Siddique have been directed to reach Wayanad. #NDRF teams from… https://t.co/4zUH6PfXjc pic.twitter.com/HB0ZYc6Kki

— Ashish (@KP_Aashish) July 7, 2026

24 કલાકમાં 265 મીમી વરસાદ નોંધાયો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આશરે 265 મીમી જેટલો ભારે વરસાદ થવાના કારણે જમીન નબળી પડતા ભૂસ્ખલન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટનલ પ્રોજેક્ટના કામમાં વપરાતા વાહનોને પણ ભૂસ્ખલનના કારણે નુકશાન પહોંચ્યું છે. 

NDRF અને ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ

દુર્ઘટનાની જાણ થતાં જ NDRFની વાયનાડ અને કોઝીકોડની બે ટીમોના કુલ 60 જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. સાથે ફાયર અને રેસ્ક્યુ સર્વિસના જવાનોની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલું હોય તો તેને ઝડપથી બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

#WATCH | Wayanad, Keralam | Six people injured in landslide at Wayanad-Kalladi tunnel construction site amid heavy rainfall; Police and Administration are carrying out a search and rescue operation here. Two teams of NDRF are on their way to the landslide site pic.twitter.com/jSLF4DM1u4

— ANI (@ANI) July 7, 2026

મંત્રીએ ‘મેન-મેડ લેન્ડસ્લાઇડ’નો આક્ષેપ કર્યો

આ દુર્ઘટનાને લઈને કેરળ સરકારના મંત્રી ટી. સિદ્દીકે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ ભૂસ્ખલનને કુદરતી નહીં, પરંતુ “મેન-મેડ લેન્ડસ્લાઇડ” ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટરે અગાઉથી જ કોંકણ રેલવેને આ સ્થળે ભૂસ્ખલનના જોખમ અંગે લેખિત ચેતવણી આપી હતી. તેમ છતાં જરૂરી પગલાં લેવામાં આવ્યા નહોતા. વહીવટીતંત્ર દ્વારા 20 જૂનના રોજ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી માટી હટાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ ન થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની કટોકટી બેઠક

કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કટોકટી બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના મહેસૂલ મંત્રી એ.પી. અનિલ કુમાર અને મંત્રી ટી. સિદ્દીકને વાયનાડ પહોંચીને બચાવ કામગીરીની જાતે દેખરેખ રાખવા સૂચના આપી છે.

#WATCH | Thiruvananthapuram | On Wayanad landslide,
Keralam CM VD Satheeshan says, “There are reports of the death of one person. As per preliminary information, seven persons are admitted to the hospital, and seven persons are missing. Police and the Fire Department are… pic.twitter.com/JoUqcE06vE

— ANI (@ANI) July 7, 2026

 

વાયનાડમાં ફરી કુદરતી આફતનો કહેર

આ પેહલા પણ વાયનાડમાં પણ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે મોટી જાનહાનિ સર્જાઈ ચૂકી છે. વર્ષ 2024માં વાયનાડના મુંડક્કાઈમાં થયેલા ભૂસ્ખલનનો ઉલ્લેખ કરતા મંત્રી ટી. સિદ્દીકે જણાવ્યું કે, આવી બેદરકારી કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે. હાલમાં જોરશોરથી બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી હોવા છતાં ટીમો સતત કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો : નવસારીમાં ભારે વરસાદથી રેડ એલર્ટ, પૂર્ણા નદીનો પુલ ડૂબ્યો; 19થી વધુ રસ્તા બંધ

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article gujarat-rain-update-navsari-heavy-rain-red-alert-purna-river-bridge-submerged-19-roads-closed Gujarat Rain Update : નવસારીમાં ભારે વરસાદથી રેડ એલર્ટ, પૂર્ણા નદીનો પુલ ડૂબ્યો; 19થી વધુ રસ્તા બંધ
Next Article jagannath-yatra-2026-police-operation-clean-sweep-190-accused-arrested Jagannath Rath Yatra 2026 : રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન સ્વીપ, 190 ફરાર આરોપી ઝડપાયા
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

EPFO Amnesty Scheme 2026
BusinessLatest Stories

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

4 Min Read
Breaking News US Air Strike On Iran
Latest StoriesWorld

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

2 Min Read
Narendra Modi Melbourne
Latest StoriesWorld

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

2 Min Read
Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?