સૂર્યકુમાર યાદવ: શું ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપ જોખમમાં છે?

newsgujarat
By newsgujarat Add a Comment 3 Min Read
bcci-latest-news-on-suryakumar-yadav | Source : X (Twitter)

BCCI latest news on Suryakumar Yadav : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈને BCCI (Board of Control for Cricket in India) હવે એક બાદ એક કડક નિર્ણય લઈ રહ્યું છે. બોર્ડનો ઉદ્દેશ્ય છે કે ટીમ દરેક ફોર્મેટમાં મજબૂતાઈથી આગળ વધે અને મહત્ત્વની ટૂર્નામેન્ટ્સ જીતે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને પહેલેથી જ આકરું વલણ અપનાવ્યા બાદ, હવે BCCI વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav T20 Captaincy) ને લઈને પણ ગંભીર વિચારણા કરી રહ્યું છે.

BCCI નો કડક નિર્ણય: સૂર્યાને T20 કેપ્ટનશીપ પરથી હટાવવાની વિચારણા

હાલમાં જ મળતી માહિતી મુજબ, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ પહેલા BCCI, ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ નવા T20 કેપ્ટનને લઈને ચર્ચા કરી રહી છે. આનો સીધો અર્થ એ છે કે BCCI સૂર્યકુમાર યાદવને(Suryakumar Yadav) ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવી શકે છે. એટલું જ નહીં, ટીમમાં પણ તેની જગ્યા હવે જોખમમાં હોવાનું મનાય છે. બોસ, ‘ખતરે મે હૈ સૂર્યા પૂરી તરહ સે…

કેમ સૂર્યા માટે સંકટ? IPL 2026 માં ખરાબ ફોર્મ અને કોચ ગંભીર સાથે ચર્ચા

આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ સૂર્યકુમારનું IPL 2026 માં અત્યંત નિરાશાજનક ફોર્મ માનવામાં આવે છે. સૂર્યાએ T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. યાદ રહે કે 8 માર્ચ 2026 ના રોજ અમદાવાદમાં તેની કેપ્ટનશીપ હેઠળ જ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેમ છતાં, બોર્ડે ટી20 વર્લ્ડ કપ 2028 ને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું પ્લાનિંગ અત્યારથી જ શરૂ કરી દીધું છે.


સૂર્યાની કેપ્ટનશીપના આંકડા જોઈએ તો તે ખૂબ જ પ્રભાવશાળી છે.
તેની આગેવાની હેઠળ ભારતે 52 T20 મેચ રમી, જેમાં 42 મેચ જીતી અને માત્ર 8 મેચ હારી છે. સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2026 T20 વર્લ્ડ કપ અને 2025 એશિયા કપ જેવા મહત્ત્વના ખિતાબ પણ જીત્યા છે. પરંતુ, BCCI ભવિષ્યની લાંબા ગાળાની વ્યૂહરચના બનાવી રહ્યું છે. આ અંગે હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પણ વિગતવાર ચર્ચા થઈ હોવાનું અહેવાલો જણાવે છે.

 

કોણ હશે નવો T20 કેપ્ટન? શ્રેયસ અય્યર રેસમાં સૌથી આગળ

જો સૂર્યાને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવે, તો તેની જગ્યા કોણ લઈ શકે છે? આ અંગે પણ 4 નામો જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે. આ રેસમાં શ્રેયસ અય્યર(Shreyas Iyer Captain) નવા કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે. તેની સાથે જ તિલક વર્મા, ઈશાન કિશન અને સંજુ સેમસન પણ કેપ્ટનશીપની દોડમાં સામેલ છે. જોવાનું એ રહેશે કે BCCI કયા ખેલાડી પર ભવિષ્યની મોટી જવાબદારી સોંપે છે.

આ પણ વાંચો : IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *