ભગવાનના ચરણોમાં કરેલું દાન ભક્ત માટે માત્ર પૈસાની વાત નથી, એ શ્રદ્ધા, સમર્પણ અને વિશ્વાસની વાત છે. સામાન્ય માણસ પોતાની મહેનતની કમાણીમાંથી થોડું દાન આપે છે, તો તેને આશા હોય છે કે આ રકમ સારા અને પવિત્ર કાર્યમાં વપરાશે. પરંતુ જો એ જ દાનને લઈને ગેરરીતિના આક્ષેપો થાય, તો ભક્તોના મનમાં સ્વાભાવિક રીતે સવાલો ઊભા થાય.
અયોધ્યાના રામ મંદિર સાથે જોડાયેલા દાન અને પ્રસાદ વિવાદની ચર્ચા હજુ શમી નથી, ત્યાં હવે દેવભૂમિ ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ ધામમાંથી એક નવો વિવાદ સામે આવ્યો છે. હિન્દુ સંગઠન ભૈરવ સેનાએ આરોપ લગાવ્યો છે કે બદ્રીનાથ ધામની દાનપેટીની રકમની ગણતરી દરમિયાન ગેરરીતિ થઈ છે.
દાનની ગણતરી દરમિયાન ગેરરીતિનો આક્ષેપ
ભૈરવ સેનાના અધ્યક્ષ સંદીપ ખત્રીના દાવા મુજબ, 2 જુલાઈના રોજ સવારે આશરે 8:30 વાગ્યે દાનપેટી ખોલીને રકમની ગણતરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન દાનની રકમમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમનો દાવો છે કે આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. હવે સવાલ એ છે કે જ્યાં સામાન્ય ભક્તને થોડા જ સમય માટે દર્શનની મંજૂરી હોય છે, ત્યાં દાનની ગણતરી દરમિયાન આવી સ્થિતિ કેવી રીતે ઉભી થઈ?
अयोध्या के बाद अब बद्रीनाथ मंदिर में भी चंदा चोरी ?
काल भैरव सेना के अध्यक्ष संजीव खत्री ने आरोप लगाया है कि BKTC के अध्यक्ष के निजी सहायक बद्रीनाथ मंदिर से चंदा चोरी किया है। खत्री ने कहा कि चोरी सुबह 8.00-8.30 बजे के बीच हुई है, उस समय की CCTV फुटेज सार्वजनिक हो।
उधर BKTC के… pic.twitter.com/ltcxxWtEaz
— Ajit Singh Rathi (@AjitSinghRathi) July 3, 2026
BKTCના કર્મચારીનું નામ ચર્ચામાં
આ મામલામાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ એટલે કે BKTC સાથે જોડાયેલા એક કર્મચારીનું નામ ચર્ચામાં આવ્યું છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે દાનની ગણતરી દરમિયાન ગેરરીતિમાં સમિતિ સાથે જોડાયેલા વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે. વિવાદ વધતા BKTC અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પોતાની તરફથી સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે જે વ્યક્તિનું નામ લેવામાં આવી રહ્યું છે, તે તેમનો પર્સનલ સેક્રેટરી નથી, પરંતુ સમિતિનો એક સામાન્ય કર્મચારી છે. આ સ્પષ્ટતા બાદ પણ સવાલો અટક્યા નથી. લોકો પૂછે છે કે જો કર્મચારી સામાન્ય હતો, તો તેને દાન ગણતરી જેવી મહત્વની પ્રક્રિયામાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યો?
#WATCH | Shri Badarinath Kedarnath Temple Committee (BKTC) Chairman Hemant Dwivedi says, “Regarding the news and allegations circulating on social media concerning the alleged misappropriation of donations and offerings at the Shri Badrinath-Kedarnath Temple Dham, I wish to state… pic.twitter.com/sLU559gqfw
— ANI (@ANI) July 4, 2026
મંદિર સમિતિએ તપાસના આદેશ આપ્યા
મામલો ચર્ચામાં આવતા BKTCના CEO સોહન સિંહ રંગડે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. દાન ગણતરીમાં જોડાયેલા બેંક કર્મચારીઓ અને મંદિરના અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત આંતરિક તપાસ માટે વિશેષ સમિતિ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તપાસ રિપોર્ટમાં શું બહાર આવે છે, તેના પર સૌની નજર છે.
CCTV ફૂટેજને લઈને પણ ઉઠ્યા સવાલ
આ સમગ્ર મામલામાં CCTV ફૂટેજ સૌથી મહત્વનો મુદ્દો બન્યો છે. એક તરફ સંગઠનનો દાવો છે કે ઘટના કેમેરામાં કેદ થઈ છે, તો બીજી તરફ તંત્ર તરફથી ફૂટેજ સ્પષ્ટ ન હોવાની વાત સામે આવી રહી છે.
આથી ભક્તોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું અસ્પષ્ટ ફૂટેજના આધારે મામલો દબાઈ જશે કે પછી પારદર્શક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી થશે?
આસ્થા અને પારદર્શિતાનો પ્રશ્ન
જો દાનપેટી સાથે જોડાયેલા આક્ષેપો સાચા સાબિત થાય, તો આ માત્ર નાણાંની ગેરરીતિ નહીં પરંતુ કરોડો ભક્તોની આસ્થાને લાગેલો ઘા ગણાશે. મંદિરના દાન પર ભક્તોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે સૌથી જરૂરી છે પારદર્શિતા અને જવાબદારી.
હવે જોવાનું એ રહેશે કે તપાસ સમિતિ શું રિપોર્ટ આપે છે અને આ મામલે કોની સામે કાર્યવાહી થાય છે. કારણ કે ભક્તો માત્ર જવાબ નહીં, પરંતુ વિશ્વાસ જળવાઈ રહે તેવો ન્યાય પણ ઈચ્છે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા, નવરાત્રિ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરવાનો દાવો

