‘સેટેબેલો’ જહાજ પર થયેલા હુમલા બાદ ઓમાનના કિનારે જ વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શિનસ બંદર નજીક ‘MT Jalveer’ નામના જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ છે. હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા હતા.
હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો બાકી
ઓમાનના દરિયા કિનારે જહાજો થઈ રહેલા હુમલાઓને લઇને ભારતીય એમ્બેસી સંપૂર્ણ સતર્ક છે. ભારતીય એમ્બેસીએ માહિતી આપતા જણાવ્યું કે, શિનસ પોર્ટ પાસે બનેલી આ ઘટના પર તેમની ચાંપતી નજર છે અને સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. જહાજને કેટલું નુકસાન થયું છે, કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તે અંગેની સત્તાવાર વિગતો હજુ બાકી છે.
Embassy of India in Oman- “We have learnt of an incident involving a vessel off Shinas port of Oman, earlier today. We are closely monitoring the situation and coordinating with the local authorities for further details.” pic.twitter.com/WaURqjNJox
— ANI (@ANI) June 11, 2026
ગઇકાલે જ અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત
ગઈકાલે ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા ‘સેટેબેલો’ (MT Settebello) ટેન્કર પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર ‘સેટેબેલો’ ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે અમેરિકાની સેનાએ તેના પર હુમલો કર્યો. જે બાદ 21 ભારતીયોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. જોકે 3 ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા જેમના મૃતદેહ આજે મળી આવ્યા છે. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.

